અમૃતલાલ વેગડ / Amrutlal Vegad
3 ઑક્ટોબર 1928 થી 6 જુલાઈ 2018
જબલપુરથી જબલપુર |
કચ્છનું કુંભારિયા ગામ તેમનું વતન. વડવાઓનું આ ગામ વાગડ
પ્રદેશનો ભાગ હતું એટલે તેઓ ‘વેગડ’ અટકથી ઓળખાયા. ગુજરાત સાથેનો તેમનો નાતો નવેસરથી જોડાયો
પછી ગુજરાત – અમદાવાદની મુલાકાતો પણ યોજાતી રહી. આવી એક મુલાકાતમાં (વર્ષ 2004) દિવ્ય ભાસ્કર ઑફિસની મુલાકાત લેતા
તત્કાલીન તંત્રી અજય ઉમટ / Ajay Umat સમક્ષ તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે અમારે (અમૃતલાલ વેગડ
અને કાન્તાબહેન વેગડ) તારક મહેતાને / Tarak Mehta મળવા જવું છે. શક્ય બનશે? તારકભાઈ પણ એ સમયે દિવ્ય ભાસ્કરના
કોલમ લેખક હતા. એક ફોન, થોડી વાતચીત અને ટેક્ષીની વ્યવસ્થા સાથે અજય ઉમટે
વેગડસાહેબની ઇચ્છા પૂરી કરવાનું પહેલું કદમ માંડ્યું. તારક મહેતાને અનુકૂળ એવા
સાંજના સમયે મુલાકાત ગોઠવાઈ.
કાન્તાબહેન વેગડ અને અમૃતલાલ વેગડ |
2015માં નવજીવન ટ્રસ્ટ – પ્રકાશન સંસ્થાની / Navajivan Trust મુલાકાતે અમદાવાદ આવ્યા એ તેમની
છેલ્લી મુલાકાત બની રહી. નર્મદા યાત્રા પર તેમણે કરેલા ચિત્રોનું પ્રદર્શન અને એ
નિમિત્તે તેઓ થોડી વાતો કરે અને પ્રશ્નોત્તરી પણ થાય એવો ઉપક્રમ હતો. અમદાવાદ
આવ્યાનો એ કદાચ પહેલો – બીજો દિવસ હશે. વાચક તરીકે પરિચય આપીને વાંચવા ઉપરાંત
ગુજરાતી સાહિત્ય પરિષદમાં અરૂણા મહેતાના આયોજન થકી ‘કૉફી મેટસ્’ના / Coffee Mates ઉપક્રમે તેમના વક્તવ્યનો આ અગાઉ લાભ
મળ્યો છે એવી સહજ વાત સાથે તારકભાઈના ઘરે મળ્યાનું સ્મરણ કરાવ્યું.
એમની આંખોમાં ચમક આવી ગઈ. કહે, ‘કાન્તા, યાદ છે ને આપણે તારકભાઈને મળ્યા વગર અમદાવાદ છોડવાનું નથી. હવે તેઓ ઘર બહાર નીકળી શકતા નથી એટલે પણ આપણે જવું જ જોઈએ.’ સાંભળતા થાય કે કેટલી સહજ ભાવના. કૃતનિશ્ચયી પણ ખરા. તેમની ઇચ્છાને અનુમોદન આપતા ઉપરોક્ત ઉપક્રમના આયોજક વિવેક દેસાઈએ (મેનેજીંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ) કહ્યું કે હું તમને એમના ઘરે લઈ જઈશ. મને કહે, ‘તમે સાથે આવશોને. તારકભાઈનું ઘર મારા માટે તીરથ સમાન છે. જ્યારે જઉં ત્યારે કંઈક સારા સમાચાર સાંભળવા મળે જ છે.’ મેં પૂછ્યું, વેગડકાકા આ વખતે તમને કયા સારા સમાચારની અપેક્ષા છે. કહે, ‘હવે પગ કામ નથી કરી રહ્યા. છતાં નર્મદામૈયાની એક ટૂંકી યાત્રા કરવાની મનશા છે. મને ખાત્રી છે કે પ્રવાસના શોખીન તારકભાઈને મળવા માત્રથી નર્મદાના જળમાં ચરણ પખાળવા જઈ શકું એટલી શક્તિ તો આવશે જ.’
એમની આંખોમાં ચમક આવી ગઈ. કહે, ‘કાન્તા, યાદ છે ને આપણે તારકભાઈને મળ્યા વગર અમદાવાદ છોડવાનું નથી. હવે તેઓ ઘર બહાર નીકળી શકતા નથી એટલે પણ આપણે જવું જ જોઈએ.’ સાંભળતા થાય કે કેટલી સહજ ભાવના. કૃતનિશ્ચયી પણ ખરા. તેમની ઇચ્છાને અનુમોદન આપતા ઉપરોક્ત ઉપક્રમના આયોજક વિવેક દેસાઈએ (મેનેજીંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ) કહ્યું કે હું તમને એમના ઘરે લઈ જઈશ. મને કહે, ‘તમે સાથે આવશોને. તારકભાઈનું ઘર મારા માટે તીરથ સમાન છે. જ્યારે જઉં ત્યારે કંઈક સારા સમાચાર સાંભળવા મળે જ છે.’ મેં પૂછ્યું, વેગડકાકા આ વખતે તમને કયા સારા સમાચારની અપેક્ષા છે. કહે, ‘હવે પગ કામ નથી કરી રહ્યા. છતાં નર્મદામૈયાની એક ટૂંકી યાત્રા કરવાની મનશા છે. મને ખાત્રી છે કે પ્રવાસના શોખીન તારકભાઈને મળવા માત્રથી નર્મદાના જળમાં ચરણ પખાળવા જઈ શકું એટલી શક્તિ તો આવશે જ.’
તસવીરો
: બિનીત મોદી
નમઁદે હર. Really we lost big man, who loves nature, understanding the real environmental truths
ReplyDeleteપ્રેમ અને આદર યોગ્ય રીતે રજૂ થયા છે.
Delete