સાહિત્ય, કળા, ભાષા અને વારસાના સંવર્ધન માટે કે સમાજસેવાના કામ માટે જરૂરી નાણાકીય મદદ આપવા
માટે અનેક લોકો આગળ આવે પરંતુ એમાંનું કોઈ જે-તે કામમાં સક્રિયપણે સામેલ થાય એવા
દાખલા બહુ ઓછા જોવા મળે. ચોસઠમા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં અવસાન
પામેલા ઉદ્યોગપતિ બળવંતભાઈ કે. પારેખ / Balvantrai Parekh એમાંના એક હતા.
12 માર્ચ 1924ના રોજ જન્મેલા બળવંતભાઈ નેવ્યાસીમે વર્ષે અવસાન
પામ્યા તેના પાંચેક વર્ષ પહેલાં સુધી પોતે ઉપાડેલી કે જેની જવાબદારી વહોરી હોય
તેવી અનેક સામાજિક – સાહિત્યિક સંવર્ધનની પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. ‘ફેવિકોલ’ / Fevicol
બ્રાન્ડથી જાણીતી પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના / Pidilite Industries
Ltd. / http://www.pidilite.comચેરમેન ‘ફાર્બસ સભા’ની પ્રવૃત્તિઓમાં રસ લે એટલું જ
નહીં તેના કાર્યક્રમમાં સામેલ થવા એંસી પ્લસની ઉંમરે મુંબઈથી અમદાવાદનો પ્રવાસ પણ
ખેડે.
ભાષા સંવર્ધન તેમજ સામાન્ય અનવ્યશાસ્ત્ર (General Semantics)સંબંધી એક પરિચર્ચાના કાર્યક્રમ નિમિત્તે બે વિદેશી ભાષાશાસ્ત્રીઓ સાથે તેઓ
મુંબઈથી / Mumbaiઅમદાવાદ / Ahmedabadઆવ્યા ત્યારે પોસ્ટ સાથેનો તેમનો ઉપરોક્ત ફોટો ગુજરાતી
સાહિત્ય પરિષદના / Gujarati
Sahitya Parishad ગોવર્ધનરામ સ્મૃતિ ખંડમાં બુધવાર, 31મી ઑક્ટોબર 2007ના રોજ પાડ્યો હતો. એમ તો પરિષદના ભવન નિર્માણ સંબંધી
હકીકત એ કે બળવંતભાઈ પારેખ પરિવાર તરફથી મળેલી પાયાની રકમ પર તે ઊભું થયું છે. જો
કે તેમણે કે તેમના પરિવારમાંથી કોઇએ આ દાન-રકમની / Donation મીશે એવી ખેવના કદી ન રાખી કે પરિવારનું નામ કોઇક રીતે આ ભવનની સાથે કાયમી
રીતે જોડાય. પરિષદના જે-તે સમયના હોદ્દેદારોએ (મોટેભાગે 1970ની આસપાસ) ‘નામકરણ’ની આવી જોગવાઈ અને એ તેમનો હક્ક
હોવા બાબતે ધ્યાન દોર્યું ત્યારે બહુ સરળતાથી ‘પરિવારની એવી કોઈ ઇચ્છા ન હોવાનું’ જાહેર કર્યું. એટલું જ નહીં પરિષદ ભવન ગુજરાતી ભાષા –
સાહિત્યના નામથી જ કાયમી સ્વરૂપે ઓળખાય તો વધુ યોગ્ય લેખાય તેવો પોતાનો દ્રઢ મત / Opinion પણ વ્યક્ત કર્યો.
કરોડો – અબજો રૂપિયાના કારોબારની વચ્ચે આવા ‘વિઝનરી’ ખ્યાલો કેવી રીતે આવે? આવે...આવે...એ તો જેનું નામ
બળવંત પારેખ હોય તેમને આવા બળુકા ખ્યાલો જ આવે. એટલા માટે પણ આવે કે તેઓ તાત્વિક
બાબતોના અભ્યાસી હતા, તેના મૂળમાં ઉતરી શકતા હતા,ચર્ચા કરી શકતા હતા. વિશ્વના નિષ્ણાતો સાથે તેઓ આ વિષયની
ચર્ચામાં ઊંડા ઉતરતા. ડૉ. હરિવલ્લભ ભાયાણી તેમાંના એક. ભાયાણી સાહેબ સાથે તેઓ
કવિતા – સાહિત્યની પણ વાતો કરતા. ખુદનું સાયકો એનાલિસિસ તેમજ સેલ્ફ રીડીંગ કરીને
સ્વભાવમાં આમૂલ પરિવર્તન લાવનાર બળવંતકાકા મનુભાઈ પંચોળી ‘દર્શક’ના પરિચયમાં આવ્યા અને લોકભારતી – સણોસરામાં બુનિયાદી
શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા નાણાકીય મદદ સાથે આગળ આવ્યા. ટ્રસ્ટી સ્વરૂપે ‘લોકભારતી’/ Lokbharati સાથે જોડાયેલો નાતો તેમને ‘દર્શક ફાઉન્ડેશન’ / Darshak
Foundation જેવા મનુભાઈ પંચોળીની / Manubhai Pancholi સ્મૃતિને ચિરંજીવ રાખતા પ્રકલ્પો સુધી દોરી ગયો.
શબ્દના ઉદભવ, અર્થ અને વિકાસ સંદર્ભે તેનો પદ્ધતિસરનો અભ્યાસ થાય
તેમજ માનવ વિદ્યાઓ વિષયે વધુ કામ થાય તે હેતુથી સ્થપાયેલું ‘જનરલ સિમેન્ટિક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સીસ’ કેન્દ્ર / http://balvantparekhcentre.org.in પણ તેમની જ દેન છેજે હાલ વડોદરામાં પ્રફુલ્લા કારના / Prafulla Karમાર્ગદર્શન હેઠળ કાર્યરત છે.આ સંદર્ભે ટેક્સાસ – અમેરિકાની ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જનરલ સિમેન્ટિક્સ (IGS) દ્વારા અપાતા પ્રતિષ્ઠિત જે. ટાલબોટ વિન્ચેલ એવોર્ડ માટે આ ક્ષેત્રે તેમણે આપેલા
પ્રદાન બદલ વર્ષ 2011માં તેમની પસંદગી થઈ હતી અને
આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ એશિયન હતા. (વધુ વિગતો માટે જુઓ લિન્ક – http://pssmagazine.com/?p=2841
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બળવંતભાઈ પારેખ મુંબઈ
ઓફિસની ચાર દિવાલ બહાર સાહિત્યિક – શૈક્ષણિક વર્તુળો વચ્ચે બેઠા હોય ત્યારે
સંસ્થાઓને માત્ર આર્થિક ટેકો જ નહીં બૌધ્ધિક પીઠબળ પણ મળી રહેતું. ફાર્બસ સભા
તેમાંની એક હતી જેના તેઓ પ્રમુખ હતા. ગુજરાતી સાથે અન્ય ભાષાઓ કે અંગ્રેજી વિશ્વ
સાહિત્યમાં તેમનું વાચન એટલું વિશાળ હતું કે પસંદગીની કૃતિઓની જાણ બહોળા
વાચકવર્ગને થાય તે હેતુથી ‘ગમતાંનો કરીએ ગુલાલ’ નામે પુસ્તિકા પ્રકાશિત
કરતા અને ભાવકો વચ્ચે વહેંચતા હતા.
ગુજરાતી ભાષા – સાહિત્ય – શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા
બળવંતકાકાને શ્રદ્ધાંજલિના બે બોલ પાઠવવામાં એક વ્યક્તિ માટે ‘વડાપ્રધાનપદનું વાજું’ વગાડવામાં મશગૂલ ગુજરાતનું ઉદ્યોગજગત ઊણું ઊતર્યું છે.
જો કે તે બાબતનો ઝાઝો શોક નથી. અબજોમાં આળોટતા આ વેપારી – ઉદ્યોગપતિઓના ઓફિસ –
ઘરમાં જ્યારે-જ્યારે ફર્નિચર બનશે,‘ફેવિકોલ’ની અનિવાર્ય હાજરી તેમને બળવંતરાય પારેખની યાદ જરૂર
અપાવશે એટલી ખાતરી તો ચોક્કસ છે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી
શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ
જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત
તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી
કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે ડિસેમ્બર – 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે
પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે
એ દિવસનું ‘સ્ટેટસ
અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં
ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.
(Friday, 2
December 2011 at 11:19am)
છૂટક ચીજ-વસ્તુ વેચાણના ભારતીય બજારમાં એફ.ડી.(FDI)આઈ તો સમજો કે કાલે ઉઠીને દેશમાં થતા નાના – મોટા ગુનાની તપાસ માટે પણ એફ.બી.(FBI)આઈ જશે આવી.
FDI – Foreign Direct Investment, FBI – Federal
Bureau of Investigation
* * * * * * *
આ પેકેટમાં માખણ છે કે કાગળ?
(Friday, 2
December 2011 at 03:00pm)
બટર શબ્દનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે? દૂધનાં ઉત્પાદનો વેચતી ડેરી પર? આણંદ સ્થિત અમૂલ ડેરીની સેન્ટ્રલ ઓફિસમાં? નાન – પરાઠા સાથે પંજાબી ભોજન પીરસતી રેસ્ટોરન્ટમાં? ઉપમા સાથે ઢોંસા – ઉત્તપમ ખવડાવતી ઉડીપી રેસ્ટોરાંમાં? દાબેલી – વડાપાઉં–સેન્ડવીચ – હોટડોગ – બર્ગર – પાઉંભાજીની લારી પર? કોઈ પણ પ્રકારના પેપર પ્રિન્ટીંગ માટે લે-આઉટ – ડિઝાઇનનું કામ કરી આપી પ્રિન્ટ જોબ માટે બટર કાઢી આપતા આર્ટિસ્ટ દ્વારા? જવાબ આપવા બદલ આપનો આગોતરો આભાર.
* * * * * * *
(Saturday, 3
December 2011 at 10:05am)
ભારત સાથે ડર્ટી ડિપ્લોમસિ અને પૉલિટિક્સ્ રમતા આવેલા પાકિસ્તાને નસીરૂદ્દીન શાહ
– વિદ્યા બાલન – ઇમરાન હાશમી અભિનિત હિન્દી ફિલ્મ‘ધ ડર્ટી પિક્ચર’ પર પ્રતિબંધ મૂક્યો.
* * * * * * *
દેવ આનંદ
(Sunday, 4
December 2011 at 02:37pm)
‘બ્રિટિશ’ઇન્ડિયા સમયના પાકિસ્તાનમાં જન્મેલા અને અભિનય – ફિલ્મ નિર્માણ – દિગ્દર્શન જેવી વિવિધ ભૂમિકા થકી આજીવન‘સક્રિય’ રહેલા અભિનેતા દેવઆનંદ‘બ્રિટન’ના લંડન શહેરમાં રવિવારની રજાના દિવસે કાયમી આરામ પામ્યા.
* * * * * * *
મકબૂલ ફિદા હુસૈન
(Monday, 5
December 2011 at 10:59am)
ભારતે બે દિગ્ગજ કલાકારોને2011ના વર્ષમાં લંડનની ધરતી પર ગુમાવ્યા. ચિત્રકાર મકબૂલ ફિદા
હુસૈન (ઇન્તેકાલ:9જૂન2011) અને અભિનેતા દેવ આનંદ (અવસાન: 4ડિસેમ્બર2011). એકને જીવતે જીવ ભારતની ભૂમિ પર આવવા ન દેવાની અનેકોની
જીદ હતી તો બીજાને જીવતા જ ભારત આવવાની ખુદની ખ્વાહિશ હતી.
* * * * * * *
ડૉ. ભીમરાવ આંબેડકર
(Tuesday, 6
December 2011 at 04:38pm)
બંધારણીય સુધારા જેવા 'જન લોકપાલ બીલ'ને પોતાની શરતોએ સંસદનું મત્તું મરાવવા ઈચ્છતા અન્ના હઝારેએ ઓગસ્ટ મહિનામાં રાજધાની
દિલ્હીમાં ઉપવાસ કર્યા એ પછી બંધારણને ઘડનારા ડૉ. ભીમરાવ આંબેડકરને અવસરજોગયાદ કરી શકાય એવો તેમનો નિર્વાણ દિવસ – 6 ડિસેમ્બરપહેલી વાર આવ્યો છે. જો કે અન્ના હઝારે તેમના સત્તાવાર ગણાતા બ્લોગ પર પણ આ અવસર
ચૂકી ગયા છે. મરાઠી દૈનિકો – માધ્યમોમાં જેમની
ઓળખ માટે 'એકવીસમી સદીના આંબેડકર' એવા શબ્દો છૂટથી વપરાય છે તેવા અન્ના હઝારેને વિનંતી કે યાદ આવે તો આજ સાંજ – રાત સુધીમાં તેમને બે શબ્દોની પણ અંજલી આપશો તો આપનો આભારી અને ટેકેદાર બન્ને થઈશ.See the Link– http://news.indiaagainstcorruption.org/annahazaresays/
* * * * * * *
અન્ના હઝારે
(Tuesday, 6 December 2011 at 05:05pm)
હરવિંદર સિંઘે કેન્દ્રિય કૃષિ પ્રધાન શરદ પવારને તમાચો માર્યો તે બાબતે અન્ના હઝારેએ
પોતાની ટીપ્પણી 'માત્ર એક જ?' સંદર્ભે બ્લોગ પર
લખેલીલાંબી સ્પષ્ટતાના અંતે આવતું એકવાક્ય ટીકા - ટીપ્પણી વિના
યથાતથ પ્રસ્તુત છે.અંગ્રેજીમાં –But when the
national property is damaged, I am hurt and feel very sad.હિન્દીમાં –लेकिन राष्ट्रीय सम्पति की हानि नहीं करना इससे मुझे बहुत दुःख होगा.See the Link – http://news.indiaagainstcorruption.org/annahazaresays/
* * * * * * *
કપીલ સિબલ
(Wednesday, 7
December 2011 at 09:33am)
કોમ્પ્યુટરના માધ્યમથી ફેલાવો પામતી સોશિયલ નેટવર્કીંગ સાઇટ્સનો વિરોધ કરતા કેન્દ્રીય
માનવ સંશાધન વિકાસ અને ટેલિકોમ પ્રધાન કપીલ સિબ્બલના દિમાગમાં કોમ્પ્યુટરનો કયો પાર્ટ
ઘૂસીને ઉત્પાત મચાવે છે? માઇક્રો ચીપ પ્રોસેસર? ના. રેમ? નહીં તો. હાર્ડ ડિસ્ક? બિલકુલ નહીં. સી.પી.યુ? ના રે ના. કી-બોર્ડ? ના બાબા ના.માઉસ? હાં ભાઈ હાં. યસ એ‘ઉંદરડો’જ ધમાલ મચાવે છે.
કપિના મગજમાં માઉસ!
નોંધ:આ ટિપ્પણી વાંધાજનક લાગે તો સંબંધિત સાઇટ તેને દૂર કરી શકે છે.
* * * * * * *
ફિલ્મોગ્રાફ - 2011(*)
(Wednesday, 7
December 2011 at 05:59pm)
પવન મલ્હોત્રા (*)
બેદબ્રતા પેઇન (*)
ગુજરાતમાં કાર્યરત એવી નવ સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે અમદાવાદમાં3 – 6 ડિસેમ્બર 2011દરમિયાન 'ફિલ્મોગ્રાફ' ફેસ્ટીવલ યોજાઈ ગયો. સેન્ટ ઝેવિઅર્સ સ્કૂલ – લોયલાના હોલમાં ચાર ફિલ્મો દર્શાવવા ઉપરાંત જે તે ફિલ્મ સાથે સંકળાયેલા સંબંધિત
પાત્રો 'પરઝાનિયા'ના દિગ્દર્શક રાહુલ
ધોળકિયા, 'ગર્મ હવા'ના અભિનેતા ફારૂક
શેખ, 'સલીમ લંગડે પે મત રો'ના અભિનેતા પવન મલ્હોત્રા અને 'અમુ'ના નિર્માતા બેદબ્રતા પેઇન સાથે દર્શકોનોડાયલોગ પણ થયો.
એ ચર્ચામાં ભાગ લેતા, 'સલીમ.....' ફિલ્મ અમદાવાદમાં જ્યાં રિલીઝ થઈ હતી તે 'એડવાન્સ' થીએટરની જગ્યાએ હવે શોપિંગ કોમ્પ્લેક્ષ બની ગયું છે તેવી
મારી ટીપ્પણીના જવાબમાં પવન મલ્હોત્રાએ 'મેં પણ એ થીએટર જોયું
હતું' એમ કહી 1989માં ગુજરાતના અમદાવાદ
અને સુરત શહેરમાં આ ફિલ્મને સો (100) દિવસનું ઓપનિંગ કલેક્શન મળ્યું હતું એવી દિગ્દર્શક સઇદ
અખ્તરમિર્ઝાએ ફિલ્મના કલાકારોને આપેલી માહિતી અહીં Re-share કરી.
અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા'ના 'હોલ ઓફ ફેમ'માં સ્થાન મેળવનાર વ્યવસાયી સંશોધક એવા 'અમુ' ફિલ્મના નિર્માતા બેદબ્રતા પેઇને 'નાના હોલમાં બેઠેલા 100 –150 પ્રેક્ષકોની સાથે
ડાયલોગ કરવા માઇકની શું જરૂર છે' એમ કહી ફિલ્મ નિર્માણ
સંબંધી ઘણી વાતો કરી કોમી એકતા અને સામાજિક સૌહાર્દ વિશે ખુદની સમજણ પોતાના બુલંદ અવાજમાં
કહી – એવો બુલંદ અવાજ જેની આજના ગુજરાતમાં જરૂર છે. ફિલ્મ ફેસ્ટીવલ
કાર્યક્રમનું પોસ્ટર એટેચ કર્યું છે. દર્શાવેલી ફિલ્મો
વિશે માહિતી આપતી રેડીમેડ લિન્ક આ રહી –
કોંગ્રેસ કારોબારીની મિટિંગમાં પક્ષની સ્થાપના (વર્ષ :1885)ના સવાસો (125) વર્ષ કેવી રીતે ઉજવવા તેની ચર્ચા અને સૂચનો મેળવવાનું
કામચાલતું હતું. કાર્યકરથી માંડીને પક્ષના 'ફેસબુક' પેજ પર ક્લિક કરનારા 'લાઇકર' સુધીના લોકો સૂચનો સાથે મિટિંગમાં હાજર હતા. કપિલ સિબ્બલે
સૂચન કર્યું કે આપણે આ નિમિત્તે દેશને 125 વર્ષ પાછળ લઈ જઈએ.
એમ કરવું શક્ય નહોતું એટલે એવું નક્કી થયું કે દેશને 125 વર્ષને બદલે 125 મહિના પાછળ લઈ જઈએ. નિર્ણય લેવાઈ ગયો છે એની તો આપ સૌને
જાણ છે જ. આ નિર્ણય લેવાયો તેસંદર્ભે કેટલાક તથ્યો
આ રહ્યા –
GOOGLE – સ્થાપના :સપ્ટેમ્બર – 1998, 159 મહિના પહેલા.
ORKUT – સ્થાપના :જાન્યુઆરી – 2004, 95 મહિના પહેલા.
FACEBOOK – સ્થાપના :ફેબ્રુઆરી – 2004, 94 મહિના પહેલા.
TWITTER – સ્થાપના :જુલાઈ – 2006, 65 મહિના પહેલા.
* * * * * * *
(Tuesday, 13
December 2011 at 04:02pm)
સારા – માઠા પ્રસંગોએ થતા જમણવારમાં કે રેસ્ટોરન્ટમાં એકઠા થતા
એંઠવાડનો પદ્ધતિસરનો નિકાલ કરવો હોય તો એ માટે સાફ-સફાઈની થોડી મહેનત અને વેસ્ટ બાસ્કેટ
તેમજ બેગ ખરીદવા જેવો જમણવારના પ્રમાણમાં સામાન્ય ગણાય તેવો ખર્ચ કરવાની તૈયારી રાખવી
પડે. કોઈ પણ પ્રકારની મહેનત વગર એકવીસમી સદીમાં ઓટોમેટિક પ્રવેશી ગયેલા આપણે આવી કોઈ
'જફા'માં પડતા નથી એ જુદી
વાત છે. એંઠવાડનો પદ્ધતિસરનો નિકાલ કરવા માગતી રેસ્ટોરન્ટસને આ સેવાઓ આપતી પ્રોફેશનલ
એજન્સીઓ પણ અમદાવાદમાં છે. એ સેવા નહીં લઈને રૂપિયા બચાવવા માગતી અમદાવાદની એક રેસ્ટોરન્ટે
અમદાવાદના ડ્રાઇવ-ઇન રોડ પરના હેલ્મેટ લેન્ડમાર્કથી અંધજન મંડળ તરફ જતા 132 ફીટ રસ્તા પર પોતાની વાનમાંથી એંઠવાડનો કાળો પ્લાસ્ટિક થેલો રાતના અંધારાનો લાભ
લઈને ફેંક્યો. પુલાવ, શાક, પાઉંભાજીની ભાજી, પંજાબી શાકની ગ્રેવી જેવા એંઠવાડને રસ્તા પર ફેંકવાનું પરિણામ શું આવ્યું? લપસણા બની ગયેલા રસ્તા પર એક પછી એક ચાર ગાડીઓ એક બીજા સાથે અથડાઈ. વિન્ડ-સ્ક્રીનના
ભુક્કા બોલી ગયા. આ ઘટના રવિવાર, 11 ડિસેમ્બર 2011ની રાતની છે. આભાર
અમદાવાદ.
* * * * * * *
(Wednesday, 14
December 2011 at 09:51pm)
'લાખેણી' ગણાવાયેલી અને ગુજરાતની 'લાડલી' એવી 'નેનો' કાર ગ્રાહકોને વેચવા
(ગુજરાતીમાં પધરાવવા) માટે છાપા – મેગેઝિનો અને ટી.વી.ની
જાહેરખબર માટે રોજનું બજેટ કેટલું છે? એક રોલ્સરોયસની કિંમત
જેટલું? એક બી.એમ.ડબલ્યુ વસાવાય એટલું? એક મર્સીડીઝ ખરીદાય એટલું? એક Q 7 ઔડી કાર ફેરવી શકાય એટલું? આ સિવાયના વૈકલ્પિક
તેમજ કાલ્પનિક જવાબો આપવાની છૂટ છે.
* * * * * * *
(Saturday, 17
December 2011 at 04:23pm)
ભારતીયરૂપિયાનું સૌથી વધુ અવમૂલ્યન કોણે કર્યું છે? આપણા નાણામંત્રીએ? ના.આપણા અર્થશાસ્ત્રીઓએ? ના.દેશની આર્થિક નીતિઓ ઘડનારાઓએ? ના.પોતાના ચલણડોલરને મજબૂત કરતા
રહેતા અમેરિકાએ? ના.બટાકાની ખેતી કરતા
ખેડૂતોએ? હા.આ વર્ષે જૂન – 2011થી ચાર આના (25 પૈસા)સત્તાવાર રીતેચલણમાંથી પાછા ખેંચાઈ ગયા પછી પણ ગુજરાત – પંજાબના ખેડૂતોએ 20 પૈસે કિલોના ભાવે બટાકા વેચવા કાઢ્યા. તોય વેચાયા નહીં
ને રસ્તા પર ફેંકી દેવા પડ્યા.
* * * * * * *
(Monday, 19
December 2011 at 12:01am)
પરંપરાથી ચાલી આવતી અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જ વીસરાતી ચાલેલી વાનગીઓનો મેળો‘સાત્વિક ફૂડ ફેસ્ટીવલ’ નામે આઈ. આઈ. એમ અમદાવાદના
નવા કેમ્પસમાં16 – 17 – 18ડિસેમ્બર (શુક્ર-શનિ-રવિ)2011દરમિયાનયોજાઈ ગયો. જો કે મેળાની અંદરની ભીડ અને બહારનો ટ્રાફીક
સામાન્ય માણસને તામસી બનાવવા માટે પર્યાપ્ત હતો.
* * * * * * *
(Tuesday, 20
December 2011 at 03:14pm)
ફિલ્મ જગત સાથે સંકળાયેલા પત્રકારોને કલાકારોના ઇન્ટરવ્યૂ માટે સમય નક્કી કરતા
કે મુલાકાત માટે સમય માંગતા ફોનના જવાબમાં‘સાબ બાથરૂમમેં હૈ’ એવો જવાબ અચૂક સાંભળવા
મળ્યો હોય. હજુય મળશે. હવેથી આવો જવાબ મળે ત્યારે બેધડક કહી દેવાનું, “ઓ.કે. બાથરૂમને બહારથી સ્ટોપર મારી દો અને સાબને સાબુ
ઘસીને નાહવા દો.”
* * * * * * *
(Tuesday, 20
December 2011 at 03:29pm)
બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જાણીતી શ્રી બાલાજી ગ્રૂપની એક જાહેરાતમાં અમદાવાદમાં3 – 4 – 5 – 6અને7બેડરૂમના એપાર્ટમેન્ટનો ઉલ્લેખ જોયા પછી વિચાર કરું છું
કે પાંચ – છ કે સાત બેડરૂમના એપાર્ટમેન્ટને ઘર કહેવા કે હોટલ?
* * * * * * *
(Sunday, 25
December 2011 at 02:57pm)
મુંબઈમાં બે દિવસ રહેતાં અને મિત્રો સાથે હરવા – ફરવામાં લોકલ ટ્રેન, ‘બેસ્ટ’ની બસ અને ટેક્ષી સર્વિસનો ભરપૂર ઉપયોગ કર્યા પછી અમદાવાદ
આવીને એવું લાગે છે કે સ્કૂટર નવેસરથી શીખવું પડશે.
* * * * * * *
જેનિલિયા ડિ'સોઝા
(Sunday, 25
December 2011 at 03:19pm)
બોલીવુડની અભિનેત્રી જેનિલિયા ડિ’સોઝાને નાતાલના આજના શુભ પર્વ પર શુભેચ્છાઓ – Merry Christmas.આવતીકાલથી લગ્ન થાય ત્યાં સુધીની શુભેચ્છાઓ – Marry Ritesh Deshmukh.
* * * * * * *
(Monday, 26
December 2011 at 01:41pm)
બાળકોને લાડ લડાવતા તેમના માટે ભાતભાતની ભેટ સોગાદો લઈને આવતા સાન્તાક્લોઝ અને
આજના બાળક વચ્ચે એક સામ્ય છે. સાન્તાક્લોઝનો ભેટ-સોગાદોથી ભરેલો થેલો અને બાળકની સ્કૂલ
બેગ – બન્નેનું વજન એકસરખું હોય છે. ક્રિસમસની રાત વીત્યે સાન્તાનો
થેલો ખાલી થાય છે પણ પેલા સ્કૂલે જતા બાળકની બેગ સાંજ પડ્યે વધારે વજનદાર થઈને ઘરે
પાછી આવે છે.
ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ઉપવાસ માટે ભાડે લીધેલા
મેદાનની ધૂળ હાથ ના લાગશે.....
* * * * * * *
(Wednesday, 28
December 2011 at 05:03pm)
ભારતીય રાજકારણમાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરો સમય જતાં ગ્રાસ (ઘાસ) જ્યાંઉગે તેવી ગોચરની જમીનો વેચતા નેતાઓ બની બેઠા.
* * * * * * *
(Wednesday, 28
December 2011 at 06:18pm)
ભારતમાં હવે ભૂખ્યા રહેવાનું મોઘું થઈ ગયું, ઉપવાસ કરવા એ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ થઈ ગયું.
* * * * * * *
(Wednesday, 28
December 2011 at 07:08pm)
લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણમુંબઈની કમાણી મુંબઈમાં સમાણી.....હું કહું છું કે રાલેગણ
સિદ્ધિની કમાણી મુંબઈમાં મેદાનના ભાડામાં સમાણી.....Watch to Enjoy – Listen this Link – http://www.youtube.com/watch?v=y4vhSPdcuPA
* * * * * * *
(Wednesday, 28
December 2011 at 07:54pm)
મુંબઈમાં એમ.એમ.આર.ડી.એના ખુલ્લા મેદાનમાંખાધા – પીધા વગરબેદિવસસુઈ જવાનું એક વ્યક્તિનુંભાડું – રૂપિયા આઠ (8) લાખ.....મુંબઈમાં એપોલો બંદર (ગેટ-વે ઓફ ઇન્ડિયા) સ્થિત
ધ તાજ મહલ પેલેસ હોટેલમાં ખાવા – પીવાની ફાઇવ સ્ટાર
સુવિધાઓ સાથે રાત-દિવસ આરામ કરવાનું બે દિવસનું ભાડું – રૂપિયા બે (2) લાખ.....
* * * * * * *
જે.આર.ડી. ટાટા
(Thursday, 29
December 2011 at 01:00pm)
ટાટા ગ્રૂપની કંપનીઓનું સંચાલન કરનાર સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટા જિંદગીભર
ભાડાના મકાનમાં રહ્યા હતા. સામાજિક કાર્યકર(!?) અન્ના હજારે વતન રાલેગણ સિદ્ધિમાં મંદિરમાં રહે છે અને ઉપવાસ કરવા માટે – બે દિવસ ભૂખ્યા રહેવા માટે મુંબઈમાં ભાડાના મેદાનના રૂપિયા આઠ (8) લાખ ચૂકવે છે. વાંચનારા આ હકીકતને જે.આર.ડી. ટાટા – અન્ના હજારે વચ્ચેના સામ્ય કે વિરોધાભાસ – ઇચ્છે એ ખાનામાં ગોઠવી શકે છે.
* * * * * * *
છરી - ચપ્પાં વેચતી અંજારની દુકાન
(Thursday, 29
December 2011 at 01:12pm)
છરી – ચપ્પા – સૂડીના ઉત્પાદનથી
પ્રખ્યાત અંજાર (કચ્છ, ગુજરાત)ના આ કામ સાથે
સંકળાયેલા વેપારીઓએ જાહેર કર્યું છે કે અન્ના હજારેએ ઉપવાસનું શસ્ત્ર એટલું બુઠ્ઠું
કરી મૂક્યું છે કે અમે પણ હવે તેને ધાર કાઢી શકીએ એમ નથી. ઉપવાસના શસ્ત્રને ધારદાર
રીતે વાપરી જાણનાર રાષ્ટ્રપિતા ગાંધીજીને ચાહનારા (એમાં કોણ સામેલ ન હોય!?) પણ તેમના શસ્ત્રને બોદું કરી મૂકનારને માફ કરી શકે તેમ
નથી.
* * * * * * *
(Saturday, 31
December 2011 at 07:33pm)
નવા વર્ષે કોઈ સંકલ્પ લેવાનો હોય તો હું સંકલ્પ લઉં છું કે 2012માં 'સંકલ્પ'નો ઢોંસો નહીં ખાઉં.
* * * * * * *
(Saturday, 31
December 2011 at 07:44pm)
નવ વર્ષ 2012માં – 'ફેસબુક' પ્રોફાઇલ વધુ જોવા
મળશે!ઇન્ટરનેટનો ઉપયોગ વધુ થશે!પેટ્રોલ થોડું વધારે વપરાશે!કસરત પણ થોડી વધુ
કરવી પડશે!મેદાનનું ભાડું ચુકવતા 'પ્રોફેશનલ ઉપવાસી'ઓએ વધારાના રૂપિયા ચુકવવાની તૈયારી રાખવી પડશે!કેમ કે – 2012નું વર્ષ લીપ યર છે
અને દિવસ છે366.